Thursday 26 December 2013

માનવતાનું મોત

માનવતાનું મોત હરરોજ થાય છે અહીં,
મરણચીસો પણ મૌન બની છે હવે અહીં...

                                              -કૌશિક

Friday 28 June 2013

ગોઝારો ઉત્તર

ઉત્તર બીજી બધી દિશાઓથી વધઆરે શુકનિયાળ,એ જ સૌથી વધુ ગોઝારી નિકળી
આ એ જ જળ છે જેના ઉપર બરહેમીથી હજારોની હત્યા અને લાખોને ત્રાસ આપવાનો આરોપ છે...
કાચા ડુંગરાઓ ધસી ધસી આ હત્યાઓમાં મદદગાર થયા છે,આ કોઈને છોડશો નહીં
મકાનો,રસ્તાઓ,સ્કુલો છટ્ટ નામર્દ સાલા,જળની ઝીંક ઝીલી શક્યા નહીં ?
હરી તારે આ સાથે કંઈ લેવા દેવા ખરી ? તને કેદારનાથનો આવાસ ગમતો નહોતો ?
કહેવુ તું ને નવો બાંધી આપત પણ આવું કરાય...!
હરિ તારી પાસે તો પાંચ પંદર હજાર આવાસ છે,તું તો ગમે ત્યા રહી જાય
લાખો લોકો માટે છાપરું પણ નહીં,એ બધા ક્યાં જાય ?
એ હરિ તું જ કે ને કે બધા ક્યાં જાય ?
                                                           -હર્ષદ ચંદારાણા